દુનિયા પાસે હકારાત્મક અને નકારાત્મક એમ બધું જ છે.એમાંથી શું મેળવવું એ કેવળ આપણા પર આધાર રાખે છે
HOME
- HOME
- વિષય વસ્તુ - અભ્યાસક્ર્મ
- પુસ્તકાલય ઓ-કાન્હા માથી સાભાર
- ધોરણ 1- 6 -૮ - ૧૨ અભ્યાસક્રમ
- અગત્યના પરિપત્ર
- PARIPATRO R I JADEJA
- IMPORTANCE WEBSITE
- મહત્વના અરજીપત્રકો
- STUDY MATERIAL ALL
- ONLINE TV
- ગણિત-વિજ્ઞાન કોર્નેર
- E- BOOK
- online services most imp
- software
- PARIPATRA ALL
- TAT -TET HTAT EXAM RELEATED
- SLIDE SHOW
- BHATT ALPESH BLOG
દેવી શારદે માં ...............

ય દેવી સર્વ ભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ......નમસ્તસ્યૈ.....નમો નમ:
Sunday, 10 November 2013
Saturday, 2 November 2013
રાજ્ય સરકારની શિક્ષકોને દિવાળીની ભેટ
રાજ્ય સરકારની શિક્ષકોને દિવાળીની ભેટ: રૂ. અઢીથી પાંચ લાખનો ફાયદો થશે
રાજ્ય સરકારની શિક્ષકોને દિવાળીની ભેટ: રૂ. અઢીથી પાંચ લાખનો ફાયદો થશે
રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોના આશરે ૯૦ હજાર શિક્ષકોને મળતી ૩૦૦ રજાઓ તેઓ નિવૃત્ત થાય ત્યારે જેટલી રજા જમા હોય તેનો પગાર મળતો હતો. મહત્તમ ૩૦૦ રજાનો રોકડમાં લાભ થતો હતો. આથી નિવૃત્તિ સમયે શિક્ષકને જો એકપણ રજા ન વાપરે તો ૩૦૦ રજા લેખે આશરે રૂ. પાંચ લાખનો ફાયદો થતો હતો. જો રજા વપરાય તો પણ ઓછામાં ઓછા અઢીથી ત્રણ લાખ મોટાભાગના શિક્ષકોને મળે છે.વર્ષોથી ચાલી આવતી પ્રથામાં રાજ્યના શિક્ષણ વિભાગના અધિકારીઓએ અને ઓડિટના અધિકારીઓએ અર્થઘટન કરવામાં ગુજરાતી કહેવત અનુસાર ધકેલ પંચા દોઢસો કરતા શિક્ષકોના લાભમાં નુકસાન ચાલુ થયું હતું. શિક્ષણ વિભાગના તા. ૩ ઓકટોબર, ૨૦૧૦ના પરિપત્રથી અર્થઘટનમાં ભૂલ થઇ હતી. જે ગઇ વિધાનસભાની ચૂંટણી વખતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વચન આપતા સુધરી હતી અને સુધારેલો પરિપત્ર તા. ૨૬ માર્ચ, ૨૦૧૩ના રોજ કરવામાં આવ્યો હતો.
આ પરિપત્રની ઓડિટ વિભાગે કવેરી કાઢતા મામલો પાછો ગૂંચવાયો હતો. અંતે આજે તા. ૨ નવેમ્બરે, ગુજરાત સરકારે સ્પષ્ટતા સાથેનો પરિપત્ર કરતા હવે શિક્ષકોને નિવૃત્તિ સમયે અઢીથી પાંચ લાખનો ફાયદો થશે તેવું માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું.
કેટલાક જિલ્લાઓ સાચું અર્થઘટન કરતા અને કેટલાક નહીં ખુદ રાજ્ય સરકારના પરિપત્રનું તુંડે તુંડે મતિ ભિન્ના જેવી સ્થિતિ હતી. શિક્ષકોને નિવૃત્તિ સમયે ૩૦૦ને બદલે અમદાવાદ, ગાંધીનગર જેવા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા ૧પ૦ રજાઓનું ખોટું અર્થઘટન થતું હતું. જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર પાટણ જેવા જિલ્લાઓ ૩૦૦ રજા ગણતા હતા. સરકારના વહીવટીતંત્રમા પણ એકસૂત્રતા ન હોવાથી કેટલાય શિક્ષકોની એકથી દોઢ લાખની રકમ ટલ્લે ચડી હતી.
રાજ્ય સરકારે માગણી સ્વીકારી છે માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ રમેશ પટેલ અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પંકજ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સમક્ષ અવારનવાર રજૂઆત કરતા પરિપત્રનુ ખોટું અર્થઘટન કરવાથી સર્જાયેલી સ્થિતિને સુધારવામાં આવી છે. આજે સુધારેલો પરિપત્ર કરતા રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સંઘ આભાર માને છે.
હા, હવે ૩૦૦ રજાનું રોકડમાં રૂપાંતર થશે શિક્ષકોની માગણીને ધ્યાનમાં રાખીને ૧પ૦ રજાનું ૩૦૦ રજાનું અર્થઘટન સુધારવામાં આવ્યું છે. અને સુધારેલો પરિપત્ર જાહેર કરાયો છે. સી.વી.સોમ, કમિશનર ઓફ સ્કૂલ, ગાંધીનગર
પટ્ટાવાળાઓને બોનસ ન મળતાં દિવાળી બગડી ગ્રાન્ટેડ સ્કૂલોના પટ્ટાવાળાઓ ચોથા વર્ગના કર્મચારી કહેવાતા હોવાથી તેમને દર વર્ષે રૂ. ૩૪૧૨નું દિવાળી બોનસ આપવામાં આવે છે. રાજ્યની આશરે ગ્રાન્ટેડ ૮પ૦૦ સ્કૂલોના ૧૨ હજાર પટ્ટાવાળાઓને દર વર્ષે બોનસ આપવામાં આવતું હતું. પણ, સ્કૂલોના પટ્ટાવાળાઓને બોનસ આપવામાં ન આવતા તેમની દિવાળી બગડી હોવાનો આક્રોશ વ્યકત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે આજે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોને ૩૦૦ રજાનું રોકડમાં રૂપાંતર કરવાનો પરિપત્ર કર્યો છે. બીજી બાજુ આવી ગ્રાન્ટેડ સ્કૂલોના જ પટ્ટાવાળાઓ બોનસથી વંચિત છે.
Friday, 18 October 2013
Thursday, 17 October 2013
વિદ્યાર્થીને પ્રથમ પરીક્ષા એટલે કે SA માં નાપાસ થાય એટલે કે ૩૩ ગુણ થી ઓછા આવે તો શું કરવું ?
ઘણા શિક્ષક મિત્રો પૂછે છે કે વિદ્યાર્થીને પ્રથમ પરીક્ષા એટલે કે SA માં નાપાસ થાય એટલે કે ૩૩ ગુણ થી ઓછા આવે તો શું કરવું ?
મિત્રો - વિદ્યાર્થી ધારોકે ૧૦૦ ગુણના પ્રશ્નપત્રમાં ૩૩ ગુણ લાવી શકે નહિ તો તેવા વિદ્યાર્થી નું ઉપચારાત્મક કાર્ય કરી ફરી પરીક્ષા લેવી અને બંને પરીક્ષામાંથી વધુ ગુણ ધ્યાનમાં લેવા.
માનીલો કે પ્રથમ પરીક્ષામાં ૧૦૦ માંથી ગણિતના પ્રશ્નપત્રમાં ૧૮ ગુણ આવે છે. તો રેમેડીયલ ટીચીંગ કરી ફરી ૧૦૦ ગુણની પરીક્ષા લેતાં ૨૧ ગુણ આવે તો તેના SA-1 ના ગુણ ૨૧ ધ્યાનમાં લેવા .વિદ્યાર્થી ફરી પરીક્ષા લેતાં ફરજિયાત ૩૩ ગુણ લાવે તે જરુરી નથી. FA1 + FA2 + SA1 + FA3 + FA4 + SA2 ના કુલ ૩૦ માંથી ૧૦ ગુણ ફરજિયાત થાયતો વિદ્યાર્થી પાસ થાય ૧૦ થી ઓછા ગુણ હશે તો વિદ્યાર્થી બોર્ડમાં નાપાસ ગણાશે.
ટૂંકમાં દરેક FA તથા દરેક SA માં ફરજિયાત પાસ થાય જ તે જરુરી નથી. FA તથા SA માં પ્રથમ વખતે ૩૩ ટકા ગુણ ન મેળવે તો ફરી FA તથા SA કરવું અને બંનેમાંથી વધુ ગુણ ધ્યાનમાં લેવા. આવી સમજ અમને અમારી તાલીમ તથા આચાર્યશ્રીએ માર્ગદર્શન આપેલ છે.
Wednesday, 2 October 2013
Subscribe to:
Posts (Atom)
કોઈપણ વિષય / ક્ષેત્રમાં અથવા વિષય સંબંધિત કોઈ પુસ્તક (.પીડીએફ) - કરોડો પુસ્તકો મફતમાં મેળવી શકશો.
કોઈપણ વિષય / ક્ષેત્રમાં અથવા વિષય સંબંધિત કોઈ પુસ્તક (.પીડીએફ) ની જરૂર છે? તમારા બ્રાઉઝર પર જાઓ અને http://www.pdfdrive.net/ સાઈટ ખોલો. ત...
-
મુખ્ય શિક્ષક અને શિક્ષકની ફરજો મુખ્ય શિક્ષક અને શિક્ષકની ફરજો મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકે ફરજીયાત શિક્ષણ કા...
-
જો તમે LMG ફોન્ટમાં ટાઈપ કર્યું હોય અને તમારે shruti ફોન્ટમાં ફેરવવું હોય, અથવા તમને LMG ફોન્ટમાં જ ટાઈપ ફાવતું હોય પણ શ્રુતિમાં લખાણ જોઈત...
-
પ્રસુતિની રજા ૧૮૦ દિવસ કરવાનો પરિપત્ર ૦૧ ઓક્ટોમ્બર ૨૦૧૪ થી લાગુ (OFFICIAL )


